દરેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચો.
=====================
પ્રશ્ન3: મનુષ્ય નું શ્વસન તંત્ર આકૃતિ દોરી સમજાવો.
જવાબ3:
મનુષ્યના શ્વસનતંત્રમાં સંકળાયેલા અંગો આકૃતિમાં દર્શાવેલા છે.
નસકોરાં અને નાસિકા માર્ગ: હવા શરીરમાં નસકોરા દ્વારા પ્રવેશે છે. આ માર્ગમાં આવેલા બારીક રોમ દ્વારા હવામાં રહેલી ધૂળ અને કેટલીક અન્ય અશુદ્ધિઓ ગળાઈ જાય છે. આ ક્રિયામાં આ માર્ગનું શ્લેષ્મ સ્તર પણ મદદરૂપ છે.
ગળામાં રહેલા અંગો: કંઠનળી, સ્વર યંત્ર અને શ્વાસનળી હવાના વહન માટે એક સળંગ માર્ગ બનાવે છે.
શ્વાસ નળી: શ્વાસનળી ગળાથી ઉરસીય ગુહા માં ફેફસાં સુધી લંબાયેલી છે.
ગ્રીવાના પ્રદેશમાં રહેલી કાસ્થિની વલયમય રચનાઓથી હવાના પસાર થવાનો માર્ગ રુંધાઈ જતો નથી.
ફેફસા: ઉરસીય ગુહામાં એક જોડ ફેફસાં આવેલાં છે. ફેફસાંમાં હવાનો માર્ગ નાની-નાની નલિકાઓમાં વિભાજન પામે છે. અને આ નલિકાઓ અંતે ફુગ્ગા જેવી રચનામાં પરિણમે છે, જેને વાયુકોષ્ઠો કહે છે.
વાયુકોષ્ઠો: વાયુકોષ્ઠોની દિવાલ પર રુધિરકેશિકાઓની વિસ્તૃત જાળીરૂપ રચના હોય છે. વાયુકોષ્ઠોની સપાટી દ્વારા વાતવિનિમય થાય છે.
==========================
Next : 10th Science SOP4
Before : 10th Science SOP2
પ્રશ્ન4: ગુરુદ્રષ્ટિ ની ખામી એટલે શું? તેને કેવી રીતે નિવારી શકાય છે? યોગ્ય આકૃતિ દ્વારા દર્શાવો. લઘુદ્રષ્ટિની ખામી અને ગુરુદ્રષ્ટિની ખામીના તફાવતના બે-બે મુદા આપો.